Aao shikhe yog
63 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Aao shikhe yog , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
63 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

The term 'Yoga' creates a picture of ancient yoga gurus in our mind. Yoga and Yogis are an integral part of Indian culture. As per the ancient inscriptions in Yoga Shastra, the term yoga means 'union'. Yoga unites individual consciousness with cosmic consciousness. Yoga is a form of mind-body fitness discipline involving a combination of muscular activity and mindful focus on awareness of the self, breath, and inner energy. It serves as a natural technique to keep health problems and diseases at bay.'Yoga is more than only physical fitness. We are not only celebrating a day but we are training the human mind to begin a new era of peace, Modi said.' This is a programme for human welfare, a tension-free world and a programme to spread the message of goodwill, the prime minister said and thanked the United Nations for adopting his idea for a World Yoga Day.

Sujets

Informations

Publié par
Date de parution 06 novembre 2020
Nombre de lectures 2
EAN13 9789352612482
Langue English
Poids de l'ouvrage 3 Mo

Informations légales : prix de location à la page 0,0132€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

આવો શીખીએ યોગ

ડાયમંડ બુક્સ
eISBN: 978-93-5261-248-2
© પ્રકાશકાધીન
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011- 41611861, 40712100
ફેક્સ : 011- 41611866
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2012
AAO SEEKHEN YOG
by : RENU SARAN
ભૂમિકા
ભારતીય દર્શનમાં યોગ એક અતિ મહત્ત્વપૂર્ણ શબ્દ છે. આ શબ્દ વેદો, ઉપનિષદો, ગીતા તેમજ પુરાણોમાં આદિકાળથી જ વ્યવહારમાં આવી રહ્યો છે. આત્મદર્શન તેમજ સમાધિથી લઈને કર્મક્ષેત્ર સુધીમાં યોગનો વ્યાપક વ્યવહાર આપણાં શાસ્ત્રોમાં થયો છે. ભારતના આધુનિક સંતોએ તો ગીતાના યોગનો પ્રચાર આખી દુનિયામાં કર્યો છે. ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગને વિભિન્ન અર્થોમાં પ્રયુક્ત કરે છે - અનુકૂળતા-પ્રતિકૂળતા, સિદ્ધિ-અસિદ્ધિ, સફળતા-નિષ્ફળતા અને જય-પરાજય - આ સમસ્ત ભાવોમાં આત્મસ્થ રહીને સમ રહેવાને પણ યોગ જ કહે છે. મહર્ષિ અરવિંદનું માનવું છે કે, પરમદેવની સાથે એકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો તથા એને પ્રાપ્ત કરવા જ બધા યોગોનું સ્વરૃપ છે.
પાછલા દિવસોમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોના પરિણામસ્વરૃપ ૨૧ જૂન, ૨૦૧૫એ આખી દુનિયાએ એક સાથે અને સમવેત સ્વરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો. ૧૯૨ દેશોના ૨૫૧ શહેરોમાં મનાવવામાં આવેલા પ્રથમ યોગ દિવસ અને ૨ અબજ લોકોએ પોત-પોતાની રીતથી યોગાસન કર્યા. ખુદ ભારતીય પ્રધાનમંત્રીએ રાજધાની દિલ્લીના રાજપથ પર યોગાભ્યાસ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એ દિવસે લગભગ આખી દુનિયા યોગપથ પર ચાલતી નજરે આવી. એ ગૌરવશાળી ક્ષણોને જોઈને દરેક ભારતીયની છાતી પહોળી થઈ ગઈ. કહે છે કે સાર્વભૌમિક, વૈજ્ઞાનિક અને પરંપરાગત જ્ઞાનનું નામ ધર્મ છે અને ઇચ્છાઓથી મુક્ત થવું યોગ. કોઈ પણ કામને એકાગ્રતાની સાથે કરવું પણ તો યોગ જ છે. જેના જ્ઞાન અને આચરણ (જાણવા અને શીખવા)માં ફરક ના હોય, તે જ સાચો યોગી છે. સાચો પ્રશ્ન એ છે કે યોગને ફક્ત ૨૧ જૂન સુધી જ સમેટાયેલો ના રાખવો જોઈએ. એને દૈનિક જીવન અને સિસ્ટમ (સ્કૂલ, કૉલેજ, ડિફેન્સ વગેરે)નો પણ હિસ્સો બનવું જોઈએ અને એનું માનવીકરણ પણ થવું જોઈએ.
આમ પણ ભારતની પહેલ પર રવિવાર ૨૧ જૂન, ૨૦૧૫એ આયોજિત પ્રથમ યોગ દિવસને આવવાવાળા સમયમાં યોગની ગ્લોબલ લોકપ્રિયતાની વાનગીની રીતે પણ જોઈ શકાય છે, પરંતુ એમાં કોઈ શંકા નથી કે અહીંયાથી આગળ યોગ પ્રતિ ભારતની જવાબદારીઓ પણ ઘણી આગળ વધી ગઈ છે. મનને સ્થિર અને ચપળ બનાવવાવાળા આ વિજ્ઞાનને દુનિયાના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારથી અજમાવવામાં આવતું રહ્યું છે. ખુદ ભારતમાં જ વિભિન્ન સંસ્થા અને આચાર્ય એને પોત-પોતાના ઢંગથી પ્રયોગમાં લાવે છે. માનકસ્વરૃપ જેવી કોઈ વસ્તુ યોગ પર લાગૂ નથી થતી, પરંતુ બાહ્ય ભિન્નતાઓને જો છોઈ દઈએ, તો પોતાની અંતર્વસ્તુમાં યોગ જીવન પદ્ધતિ અને એક દર્શન છે. આ સમય વીતવાની સાથે જ વનોમાં ક્યાંક ગુમ થતી જઈ રહી છે. દુનિયાને યોગની આ મૂળ આત્માથી પરિચિત કરાવવાનું કામ ભારતનું જ છે.
આવો શીખીએ યોગ
પ્રિય બાળકો, આ તથ્ય તો હજારો વર્ષોથી પ્રમાણિત થતું આવી રહ્યું છે કે, યોગ આપણને સ્વસ્થ અને સુંદર તન-મન આપે છે. યોગાસન એનો જ મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આજે તો આખું વિશ્વાસ જ યોગમય થતું જઈ રહ્યું છે. યોગ હોય કે પછી ભોગ-રોગ બંનેમાં જ બાધક હોય છે. આ બંને ક્રિયાઓને કરવા માટે આપણા શરીરનું રોકમુક્ત હોવું પરમ આવશ્યક છે. રોગ મુક્ત થવું છે, તો આપણે યોગની શરણમાં જવું પડશે. યોગનો મતલબ છે યોગાસન. આથી બાળકોથી અનુરોધ છે કે તેઓ આસન કરે, સ્વસ્થ રહે. આસન કરે-આગળ વધે.
યોગ ખુલ્લી તેમજ તાજી હવામાં યોગાસન કરવું સૌથી સારું માનવામાં આવે છે. જો એવું ના થાય, તો ક્યાંય પણ (મસ્તીમાં) આસન કરી શકાય છે. જ્યાં યોગાસન કરો, ત્યાંનું વાતાવરણ શાંત હોવું જોઈએ. ત્યાં અવાજ ના હોય. એ સ્થાન પર મનને શાંત કરવાવાળું હળવું સંગીત પણ ચલાવી શકાય છે. સીધા ફર્શ પર બેસીને યોગાસન ના કરો. યોગા મેટ, દરી કે ચટ્ટાઈ જમીન પર બિછાવીને પણ યોગાસન કરી શકાય છે. યોગાસન કરતાં સમયે સૂતરાઉ કે થોડા ઢીલાં કપડાં પહેરવા ઉત્તમ રહે છે. ટી-શર્ટ કે ટ્રેક પેન્ટ પહેરીને પણ યોગાસન કરી શકાય છે. આસન ધીમે કે પછી ઝડપથી - બંને પ્રકારથી કરવા ફાયદાકારક હોય છે. જલ્દી કરો તો તે દિલ માટે સારું રહે છે અને ધીમે કરશો તો તે માંસપેશીઓ માટે ઉત્તમ રહે છે તથા એનાથી શરીરને પણ વધારે મજબૂતી મળે છે. યોગાસન આંખો બંધ કરીને કરો. ધ્યાન શરીરના એ હિસ્સા પર લગાવો, જ્યાં આસનની અસર થઈ રહી છે, જ્યાં દબાવ પડી રહ્યો છે. પૂરા ભાવથી કરશો, તો એનો સારો પ્રભાવ તમારા શરીર પર પડશે. યોગમાં શ્વાસ લેવા તેમજ છોડવાની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. એનો સીધો અર્થ એ જ થાય છે કે, જ્યારે શરીર ફેલાવો કે પાછળની તરફ જાઓ, શ્વાસ લો અને જ્યારે પણ શરીર સંકોચાય કે પછી આગળની તરફ ઝુકે તો શ્વાસ છોડતાં-છોડતાં જ ઝુકો.
આસન ક્યારે કરશો? આસન સવારના સમયે કરવા જ સૌથી સારા હોય છે. સવારે તમારી પાસે સમય નથી, તો સાંજે કે રાત્રે ખાવાનું ખાવાથી અડધો કલાક પહેલાં પણ કરી શકાય છે. એ ધ્યાન રાખો કે, તમારું પેટ ભરેલું ના હોય. ભોજન કરવાના ૩-૪ કલાક પછી હળવા સ્નેક્સના ૧ કલાક પછી યોગાસન કરી શકાય છે. ચા-છાશ વગેરે પીવાના અડધા કલાક પછી પાણી પીવાના ૧૦-૧૫ મિનિટ પછી આસન કરવું ઉત્તમ રહે છે.
આ સાવધાનીઓ વર્તો યોગમાં વિધિ, સમય, નિરંતરતા, એકાગ્રતા અને સાવધાની જરૃરી છે. ક્યારેય પણ આસન ઝટકાથી ના કરો અને એટલું જ કરો, જેટલું સરળતાથી કરી શકો. ધીમે-ધીમે અભ્યાસ વધારો. કમર દર્ત હોય તો આગળ ના ઝુકો, પાછળ ઝુકી શકો છો. જો હાર્નિયા હોય, તો પાછળ ના ઝુકો. દિલની બીમારી હોય કે ઉચ્ચ રક્તચાપ હોય, તો તેજીથી યોગાસન ના કરવા જોઈએ. શરીર કમજોર છે, તો પછી આરામથી કરો. ૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો યોગાસન ના કરે. ૩ થી ૭ વર્ષના બાળકો હળવા યોગાસન જ કરે. ૭ વર્ષથી વધારે ઉંમરના બાળકો દરેક પ્રકારના યોગાસન કરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલ આસન અને કપાલભાતિ બિલ્કુલ પણ ના કરે. મહિલાઓ માસિક ધર્મ સમાપ્ત થયા પછી, પ્રસવોપરાંત ૩ મહીના પછી અને સિજેરિયન ઑપરેશનના ૬ મહીના પછી જ યોગાસન કરી શકે છે.
આ ભૂલો બિલ્કુલ ના કરો કોઈ પણ આસનના ફાઇનલ પૉશ્ચર (અંતિમ બિંદુ) સુધી પહોંચવાની ઉતાવળ બિલ્કુલ પણ ના કરો. જો તમારી રીત થોડી પણ ખોટી થઈ ગઈ, તો પછી અંતિમ બિંદુ સુધી પહોંચવાનો કોઈ પણ લાભ નથી મળવાનો. એટલે કે, હલાસનમાં પગોને જમીન પર લગાવવા માટે ઘુંટણો વાળી લો, તો બેકાર છે. જ્યાં સુધી તમારા પગ જાય, ત્યાં જ રોકાઓ, પરંતુ ઘુંટણો સીધા રાખો. યોગાસન કરો છો, તો પછી તમારે ખોરાક પર પણ નિયંત્રણ કરવું જરરી થાય છે. જો તમે અત્યધિક કેલેરી અને અત્યધિક ચરબીયુક્તવાળા ખાદ્ય પદાર્થ કે પછી તેજ મરચાં-મસાલાવાળું ખાવાનું ખાતા રહેશો, તો પછી યોગની કોઈ ખાસ અસર નથી થવાની. જ્યારે પણ કોઈ બીમારીથી છુટકારો મેળવવા માટે યોગાસન કરો, તો વિશેષજ્ઞથી પૂછીને જ કરો. યોગની અસર તુરંત નથી થતી. એવામાં દવાઓ પણ તુરંત બંધ ના કરો. જ્યારે યોગ્ય લાગે, તપાસ પણ કરાવતાં રહો, એના પછી જ ડૉક્ટરની સલાહથી દવા બંધ કરો. યોગાસનની અસર થવામાં થોડો સમય લાગે છે. તુરંત પરિણામોની આશા ના કરો. ઓછાથી ઓછો ખુદને ૬ મહીનાનો સમય આપો, પછી જુઓ અસર થઈ કે નહીં.
બાળકો, ફક્ત ૧૦ મિનિટ છે, તો... ૫ મિનિટ ગર્દન, ખભાઓ, કોણીઓ, કમર, ઘુંટણો, પગો, પંજાઓ વગેરેની સૂક્ષ્મ ક્રિયાઓ ( દરેક દિશામાં ફરવું, સ્ટ્રેચ કરવું) કરો. ૨-૩ મિનિટ સૂર્ય નમસ્કાર કરો. ૩ મિનિટ પોતાની જગ્યાએ ઊભા થઈને જૉગિંગ કરો.
સૂર્ય નમસ્કાર
પ્રિય બાળકો, સૂર્ય નમસ્કારને આપણે સંપૂર્ણ વ્યાયામ પણ કહી શકીએ છીએ. એને કરવાથી સંપૂર્ણ શરીરને આરોગ્ય, શક્તિ તેમજ ઊર્જાની પ્રાપ્તિ થાય છે. સાથે જ બધા અંગો-પ્રત્યંગોમાં પણ ક્રિયાશીલતા આવે છે. જો તમારી પાસે વધારે સમય નથી, તો સવારે દસ વાર સૂર્ય નમસ્કાર કરવાથી પણ તમારા શરીરના બધા વ્યાયામ થઈ જશે. એનાથી શરીરને ના ફક્ત ઊર્જા મળે છે, બલ્કે માનસિક તણાવથી પણ મુક્તિ મળે છે. આ શરીરની સમસ્ત આંતરિક ગ્રંથીઓના અંતઃસ્ત્રાવ (હૉર્મોનલ સિસ્ટમ)ને પણ નિયંત્રિત કરે છે. એમાં કુલ ૧૨ આસન હોય છે.
સૌથી પહેલાં બંને હાથોને જોડીને (નમસ્કારની જેમ) સીધા ઊભા થઈ જાઓ. શ્વાસ ભરતાં-ભરતાં પોતાના બંને હાથોને ઉપરની તરફ કાનોથી લગાવો અને કમરની પાછળની તરફ ઝુકાવો.
શ્વાસને બહાર કાઢતા અને હાથોને સીધા રાખીને આગળની તરફ ઝુકો. હાથોને પગોની જમણે-ડાબે કરતાં-કરતાં જમીનને સ્પર્શો. ધ્યાન રહે, આ દરમિયાન ઘુંટણો હંમેશાં સીધમાં રહે.
શ્વાસ ભરતાં-ભરતાં જમણા પગને પાછળની તરફ લઈ જાઓ અને ગરદનને પાછળની તરફ ઝુકાવો, આ સ્થિતિ પર થોડો સમય સુધી રોકાયેલા રહો.
હવે શ્વાસ ધીમે-ધીમે છોડીને ડાબા પગને પાછળની તરફ લઈ જાઓ અને બંને પગોની એડીઓને મિલાવીને શરીરને ઉપરની તરફ લઈ જાઓ. શ્વાસ ભરતાં-ભરતાં નીચેની તરફ આવો અને સૂઈ જાઓ. પેટ જમીનથી થોડું ઉપર જ રહેશે. હવે શ્વાસ છોડો. શરીરના ઉપરી ભાગને શ્વાસ ભરતાં-ભરતાં ઉઠાવો અને ગરદનને પાછળની તરફ ઝુકાવો. થોડી સેકેન્ડ સુધી રોકાયેલા રહો. દૃષ્ટિ હંમેશાં આકાશની તરફ જ રહેવી જોઈએ.
હવે શ્વાસ છોડતાં-છોડતાં પોતાના પૃષ્ઠ ભાગ (હિપ્સ)ને ઉપરની તરફ ઉઠાવો તેમજ માથાને ઝુકાવી લો. એડીને જમીન પર લગાવો.
ફરીથી ચોથી પ્રક્રિયાને અપનાવો, પરંતુ એના માટે ડાબા પગને આગળ લાવો અને ગરદનને પાછળ ઝુકાવીને ઉપરની તરફ જુઓ.
ડાબો પગ પાછો લાવો અને જમણાની બરાબરમાં રાખીને, ત્રીજા નંબરની સ્થિતિમાં આવી જાઓ એટલે ઘુંટણોને સીધા રાખીને હાથોથી પગોના ડાબે-જમણે જમીનને સ્પર્શો.
શ્વાસ ભરતાં-ભરતાં બંને હાથોને કાનોની લગાવીને ઉપરની તરફ ઊઠો. પછી પાછળની તરફ ઝુકીને ફરીથી બીજી અવસ્થામાં આવી જાઓ. ફરીથી પહેલાંવાળી સ્થિતિમાં આવી જાઓ.

નોંધ : ગર્ભવતિ મહિલાઓ એને ના કરે. કમર દર્દથી પીડિત લોકો પણ આને ના કરે. ઘુંટણોમાં દર્દ હોય, તો સતર્કતા વર્તો. ઉચ્ચ રક્તચાપના દર્દી આને ધીમે-ધીમે કરે.

પ્રાણાયામ
પ્રિય બાળકો, વિભિન્ન પ્રકારના આસનો પછી નંબર આવે છે પ્રાણાયામનો. પ્રાણાયામ શું હોય છે? એને સીધા શબ્દોમાં કંઈક આ પ્રકારે પણ જાણી શકાય છે. પાંચ મૂળભૂત તત્ત્વોમાંથી એક તત્ત્વ હોય છે વાયુ, જે આપણાં શરીરને જીવિત રાખે છે. અહીંયા વાયુના રૃપમાં શ્વાસરૃપી આપણાં પ્રાણ છે. પ્રાણ તો આપણા શરીરના કણ-કણમાં ઉપસ્થિત છે. આ ક્યારેય આરામ નથી કરતા. સત કામ કરતા રહે છે. જ્યાં સુધી પ્રાણ શક્તિ ચાલે છે, ત્યાં સુધી માણસ જીવિત રહે છે. સ્વાભાવિક છે, પ્રાણ જ જીવન છે. પ્રાણ જ બધું છે. આ જ પ્રાણોને શુદ્ધ, નિરોગ અને સ્વસ્થ જાળવી રાખવાનું કામ પ્રાણાયામ કરે છે.
પ્રાણાયામમાં શ્વાસ નાકથી જ લેવા જોઈએ. પ્રાણાયામ કરવા દરમિયાન જો થાક મહેસૂસ થાય, તો વચ્ચે-વચ્ચે સૂક્ષ્મ વ્યાયામ પણ કરી લેવા જોઈએ. શ્વાસને જબરદસ્તી ના રોકો. પ્રાણાયામ કરવાથી પહેલાં ઓઉમ્નું ત્રણ વખત ઉચ્ચારણ પણ કરી લેવું જોઈએ. આ દરમિયાન હંમેશાં ચહેરા પર સ્મિત રહેવું જોઈએ. અહીંયા પર એ બતાવવું પણ પરમ આવશ્યક છે કે, પ્રાણાયામ કરવાથી આયુની વૃદ્ધિ થાય છે. આપણાં શરીરના કેટલાય રોગ પ્રાણાયામ દ્વારા દૂર થઈ શકે છે. એટલું જ નહીં, પ્રાણાયામના અભ્યાસથી રોગોથી બચી પણ શકાય છે. એક સત્ય એ પણ છે કે પ્રાણાયામ કરવાવાળાઓને રોગ થતો જ નથી. પ્રાણાયામથી ફક્ત પ્રાણ જ નહીં, મને પણ વશ કરી શકાય છે. મન વશમાં થવાથી બુદ્ધિ પણ તીવ્ર તેમજ સૂક્ષ્મ થાય છે. આનાથી શરીર ક્રિયાશીલ બને છે, એમાં લચક, ફુર્તી-ચુસ્તી અને કાન્તિ આવી જાય છે. પ્રાણાયામથી શરીરના ત્રિદોષ દૂર થઈ જાય છે. શરીર સ્વસ્થ તેમજ દીર્ઘાયુ થઈ જાય છે. પ્રાણાયામ એવા સ્થાને ના કરો, જ્યાં સીલન, ધૂળ, ધુમાડો કે કોલાહલ હોય. તાવ દરમિયાન પ્રાણાયામ ના કરો. ગર્ભવતી સ્ત્રીઓએ પણ પ્રાણાયામ ના કરવો જોઈએ.

અમે અહીંયા પર એવા પાંચ પ્રાણાયામ આપી રહ્યા છીએ, જેમનો રોજ અભ્યાસ કરવો જોઈએ. અહીંયા જે ક્રમમાં પ્રાણાયામ આપવામાં આવી રહ્યા છે, એમને એ જ ક્રમમાં કરવા જોઈએ. પ્રાણાયામ પછી સીધા ધ્યાનમાં ઉતરી શકાય છે. આમ તો કપાલભાતિને પ્રાણાયામ નથી માનવામાં આવતું.
કપાલભાતિ
સુખાસનમાં બેસી જાઓ અને આંખો બંધ કરી લો. બંને નાસિકાઓથી ઊંડો શ્વાસ અંદર લો. એવામાં છાતી ફૂલશે. હવે શ્વાસને બળપૂર્વક પૂરી રીતે બહાર કાઢી નાખો. આ પ્રકારે ૨૦ શ્વાસ રોકાયા વગર લેવાના અને ક

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents