Mahan Chanakya
303 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Mahan Chanakya , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
303 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

He is the pioneer of an intellectual tradition initiated for the orderly conduct of the Indian economic, political, academic, and social system. He eliminated the enemies by his strategies. He gave a coveted position to Sanskrit literature by his sheer brilliance. He presented his entire life to others as a benchmark to be studied. He gave importance to character, pride, and commitment towards duty. The name of such a colossus is 'Chanakya'. He was endowed with a sharp intellect, strong resolution, sheer brilliance, foresight and thus a man of that era. He had only one motto in his life - 'Buddhirdasa Balam Tasya' i.e, One, who has intelligence has the might!Keeping in mind the growing popularity of Chanakya's literature among the readers, we have published this 'Combined Edition'. It is our aim to make Chanakya's invaluable wealth as a great scholar, easily available so that everyone can lead a planned and prosperous life. Also, I personally feel that everyone must read this book. - Acharya Rajeshwar Mishra

Sujets

Informations

Publié par
Date de parution 01 janvier 0001
Nombre de lectures 0
EAN13 9788128819445
Langue English

Informations légales : prix de location à la page 0,0118€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

જ્યોતિષીઓએ સત્ય જ કહ્યું હતું - ''ચણી ! આવું બાળક તો સૈકાઓ પછી કોઈ નસીબદારના ઘરે જન્મે છે, સુખ તો આની ચારે બાજુએ નર્તકીઓની જેમ નૃત્ય કરશે. વૈભવ આની આગળ આગળ સેવકોની જેમ પથરાતાં જશે અને મહામાત્ય હોવા છતાં પણ આ યુગપુરુષ કહેવાશે. એટલું જ નહીં મહાપંડિત બનશે. આ સમાજને એક નવી વ્યવસ્થા આપશે અને આખાય આર્યાવર્ત પર પોતાની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરશે. આ બાળક પોતાની આંગળીના ઇશારા માત્રથી વિદેશી સામ્રાજ્યના મૂળ હચમચાવી દેશે. એ જ ચક્રવર્તી રાજા જાહેર કરશે અને ભારતનું ગૌરવ વધારશે.'' એ જ બાળક 'ચાણક્ય'ના નામથી પ્રખ્યાત થયો.
જેણે ભારતીય અર્થવ્યવસ્થા, રાજનૈતિક, શિક્ષણ અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજિત બનાવી રાખવા માટે એક શ્રેષ્ઠ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. પોતાની કૂડકપટ નીતિઓથી શત્રુઓને કાબૂ કર્યા. પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને અત્યંત મહત્ત્વપૂર્ણ બનાવ્યો. પોતાની સંપૂર્ણ જીવનશૈલીને બીજાના શિક્ષાર્થે ઉપસ્થિત કર્યું. જેણે આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યપરાયણાને પ્રાધાન્ય આપ્યું, એ જ શ્રેષ્ઠ પુરુષનું નામ 'ચાણક્ય' છે.
મહાન ચાણક્ય
જીવનચરિત્ર અને સમગ્ર સાહિત્ય
(સંયુક્ત આવૃત્તિ)
 
ડાયમંડ બુક્સ
 
eISBN: 978-81-2881-944-5
© પ્રકાશકાધીન
પ્રકાશક :ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા.લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન:011-41611861, 40712100
ફેક્સ:011-41611866
ઇ-મેઇલ: ebooks@dpb.in
વેબસાઇટ: www.dpb.in
સંસ્કરણ:2014
MAHAN CHANAKYA : A ATMAKATHA A NE S AMAGRA S AHITYA
By : Acharya Rajeshwar Mishra
ભૂમિકા
ચાણક્યનું નામ આજે કોણ નથી જાણતું ! જેણે ભારતીય અર્થવ્યવસ્થા, રાજનૈતિક વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજિત બનાવવા માટે એક શ્રેષ્ઠ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. જેણે પોતાની કૂડકપટનીતિઓથી શત્રુઓને કાબૂ કર્યા. જેણે પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને અત્યંત મહત્ત્વપૂર્ણ બનાવ્યું. જેણે પોતાની સંપૂર્ણ જીવનશૈલીને બીજાના શિક્ષાર્થે ઉપસ્થિત કર્યુ. પોતે ચક્રવર્તી રાજા ન બનીને ચંદ્રગુપ્તને ચક્રવર્તી રાજા બનાવ્યા. જેણે ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યપરાયણતાને પ્રધાનતા આપી, એ જ શ્રેષ્ઠ પુરુષનું નામ 'ચાણક્ય' છે.
ચાણક્યનો જન્મકાળ લગભગ ત્રીજા સૈકાં ઈસાપૂર્વ માનવામાં આવે છે. તેમના પિતાનું નામ 'ચણક' હતું. તેમનો જન્મ મગધ સામ્રાજ્યના કુસુમપુર ગામ (પટણા)માં થયો હતો. તે વખતે નંદવંશનું સામ્રાજ્ય હતું. ચાણક્ય જન્મથી બ્રાહ્મણ, રંગથી શ્યામ તથા તેમના ચહેરા પર સૌમ્યતા હતી. વિદ્વાનોના લક્ષણથી ભરપૂર ચાણક્યનો જ્યારે જન્મ થયો હતો ત્યારે જ જ્યોતિષિઓએ પિતા ચણકને એ બધું જ જણાવી દીધું હતું. "ચણી ! આવું બાળક તો સૈકાંઓ પછી કોઈ નસીબદારના ઘરે જન્મે છે, વૈભવ આની આગળ-આગળ સેવકોની જેમ ચાલશે અને મહામાત્ય હોવા છતાં યુગપુરુષ કહેવાશે. એટલું જ નહીં મહાપંડિત બનશે. આ સમાજને એક નવી વ્યવસ્થા આપશે અને આખાય આર્યાવર્ત પર પોતાની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરશે. આ બાળક પોતાની આંગળીના ઈશારા માત્રથી વિદેશી સામ્રાજ્યના મૂળ હચમચાવી દેશે, એ જ ચક્રવર્તી રાજા જાહેર કરશે અને ભારતનું ગૌરવ વધારશે." આ બધું જ સત્ય સાબિત થયું.
અત્યંત તીક્ષ્ણ બુદ્ધિ હોવાના કારણે અથવા 'ચણક'થી ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ 'ચાણક્ય' પડ્યું. તેઓ બુદ્ધિથી તીક્ષ્ણ, સંકલ્પના પાક્કા, પ્રતિભાના સ્વામી, દીર્ઘદૃષ્ટિવાળા તથા યુગનિર્માતા હતા. તેમના જીવનનો એક ઉદ્દેશ્ય હતો 'बुद्धिर्यस्य बलं तस्य' ।
જીવનચરિત્ર : આ પુસ્તકમાં પહેલાં ચાણક્યનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. આ નવલકથાની રીતે લખવામાં આવ્યું છે. એમાં આચાર્ય ચાણક્યના જીવન સાથે જોડાયેલી તમામ માહિતી સરળ શબ્દોમાં આપવામાં આવી છે. તેમના બાળપણ, યુવાવસ્થા, શિક્ષણ, પ્રતિજ્ઞા, નીતિગત યુદ્ધોમાં વિજય, સહયોગ અને ત્યાગને સરસ રીતે વર્ણવામાં આવ્યો છે. જેમાંથી વાચકોને વાંચવામાં રોચકતા અને ઐતિહાસિક જાણકારી મળી શકે.
નીતિ : 'ચાણક્ય નીતિ' અત્યંત પ્રચલિત છે. આથી લોકો પોતાની વાતોને દમદાર બનાવવા માટે આ ઉપદેશયુક્ત નીતિવચનોની સહાયતા લે છે. આ નીતિઓ હકીકતમાં બહુ દમદાર છે અને જીવનને સુનિયોજિત રીતે જીવવા માટે સાચો માર્ગ બતાવે છે આ નીતિઓના પાલન કરવાથી જીવનમાં (કોઈપણ ક્ષેત્રમાં) હારનું મોં નથી જોવું પડતું.
સૂત્ર : 'ચાણક્ય સૂત્ર' ખરેખર એ સુવાક્યો છે, જેને યાદ કરવા કોઇ મુશ્કેલ કામ નથી. આ એવા સૂત્રો છે જે દરેક પળે જીવનના દરેક વળાંક પર ગુરુમંત્રનું કામ કરે છે, સામ-દામ-દંડ-ભેદની સાચી વ્યાખ્યા આપીને આપણને જીવન જીવવાની શ્રેષ્ઠ કલા પ્રદાન કરે છે. આ પુસ્તકમાં સરળ શબ્દો દ્વારા થોડાં શબ્દોમાં સ્પષ્ટ વાત કહેવામાં આવી છે.
અર્થશાસ્ત્ર : ચાણક્યનું નામ જ કૌટિલ્ય હતું. વસ્તુતઃ કુટિલ (આડી) નીતિઓના કારણે અથવા 'કુટિલ' ગૌત્રમાં જન્મ થવાના કારણે તેમનું નામ "કૌટિલ્ય" પડ્યું. આ અર્થશાસ્ત્રના પંચદશ અધિકરણોમાં રાજ્ય વ્યવસ્થાની સમસ્ત પ્રણાલી અને વૈધાનિક સિદ્ધાંત સરળ રીતે અને સંક્ષિપ્ત લખવામાં આવ્યા છે. સાધારણ વાચક પણ સમજી શકે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ચાણક્ય-સાહિત્ય પ્રત્યે વધતી લોકપ્રિયતાને જોઈ વાચકોની સુવિધાને ધ્યાનમાં રાખે આ 'સંયુક્ત આવૃત્તિ' પ્રકાશિત કરવામાં આવી છે. આશા છે કે, આચાર્યનું જીવનચરિત્ર, નીતિ, સૂત્ર અને અર્થશાસ્ત્રને એક જગ્યાએ સંગ્રહિત જોઈ વાંચકોને બહુ આનંદ થશે. આ જ ઉદ્દેશ્ય છે કે મહાપંડિત ચાણક્યનું અણમોલ જ્ઞાન ભંડાર સર્વસુલભ હોય જેને વાંચીને સૌ પોતાના જીવનને સુનિયોજીત કરી શકે.
આચાર્ય રાજેશ્વર મિશ્ર
૩/૭, એન.સી.ઈ.આર.ટી. નવી દિલ્લી-૧૧૦૦૧૬
અનુક્રમણિકા
1. ચાણક્યનું જીવનચરિત્ર બાલ્યકાળ ચાણક્યની પ્રતિજ્ઞા ચંદ્રગુપ્તની શોધ તક્ષશિલામાં ચાણક્ય મગધમાં વસંત ઉત્સવ સિંધુની પેલે પાર સિકંદર સિકંદર અને પર્વતેશ્વરનું યુદ્ધ સિકંદરનું પાછા ફરવું નંદ રાજ્યની સમાપ્તિ યવનોનું પુનઃ આક્રમણ શિખા-બંધન
2. ચાણક્ય નીતિ પ્રથમ અધ્યાય દ્વિતીય અધ્યાય ત્રીજો અધ્યાય ચોથો અધ્યાય પાંચમો અધ્યાય છઠ્ઠો અધ્યાય સાતમો અધ્યાય આઠમો અધ્યાય નવમો અધ્યાય દસમો અધ્યાય અગિયારમો અધ્યાય બારમો અધ્યાય તેરમો અધ્યાય ચૌદમો અધ્યાય પંદરમો અધ્યાય સોળમો અધ્યાય સત્તરમો અધ્યાય
3. ચાણક્ય સૂત્ર
4. કૌટિલ્ય અર્થશાસ્ત્ર માનવીય વ્યવસ્થા અને એના કર્તવ્ય રાજકીય પદ વિધાન ધાર્મિક વ્યવહાર મુશ્કેલીમાં ધૈર્ય સામાજિક સંબંધ રાજ્ય વિસ્તારની વ્યવસ્થા રાજા અને રાજ્ય સુખ સંકટ / વ્યસનોની વિવાચના નીતિઓ દ્વારા સફળતા યુદ્ધ સંબંધિત જાણકારી સંગઠનની અનિવાર્યતા નિર્બળતાની સ્થિતિમાં વિપત્તિમાં બચાવ શત્રુ વિનાશ અને જડી-બૂટીનો પ્રયોગ શત્રુ વિનાશ હેતુ તંત્રનો પ્રયોગ
ચાણક્યનું જીવનચરિત્ર
બાલ્યકાળ
કુસુમપુર ! હા આ એ જ કુસુમપુર છે, કેટલું નાનું ગામ હતું! અહીં જ મારું બાળપણ વિત્યું. આ જ ગામને દુષ્ટ નંદે તહેસ-નહેસ કરી નાંખ્યું. આજે હરેલી-ભરેલી વસ્તી થઈને પણ યાતનાના વાદળોમાં ઘેરાયેલી એક ઉજ્જડ વસ્તી લાગી રહી છે. અહીંયા કેટલીય ચિતાઓ સળગી છે. કેટલાયને અગ્નિ પણ પ્રાપ્ત ના થઈ. કેટલાય કાગડાં-સમડીઓના ભોજન બની ગયા, કોઈ હિસાબ નથી.
ચાલતાં-ચાલતાં ચાણક્ય એક વટ વૃક્ષની નીચે આવીને ઊભા થઈ ગયા. સાંજ ઢળી ચુકી હતી. એકાએક ચાણક્ય અટ્ટહાસ્ય કરી ઉઠ્યાં. એમની સામે ભૂતકાળનું એ પાનું ખુલી ગયું.
નાનું-એવું આ ગામ કુસુમપુર! કુલ જમા દસ-વીસ ઘરોની વસ્તી. થોડે દૂર ખેતર. ઝૂંપડી જેવા મકાન. ઝૂંપડી પણ કેવી, ઘાસ-પૂસને મોટી લાકડીઓ પર એ પ્રકારે નાખી રાખ્યા હતા જાણે નીચે સૂરજની ગરમીથી બચવા માટે છાંયડો થઈ જાય. નંદના સૈનિકોની જેમ જ તડકો પણ જિદપૂર્વક ઘાસની નીચે પાંછો ચીરીને ઘરમાં ઘૂસી આવતો હતો, અને આ જ રીતે બેરોક-ટોક વરસતું પાણી. અંદર સુધી બધું જ પલળી જતું હતું. ઉપરથી નંદના સૈનિકોનો દબદબો. કોણ જાણે ક્યારે તડકો કે વાદળની જેમ નંદના સૈનિક ઘાસ-ફૂસમાં છેદ કરીને ઝૂંપડીમાં ઘૂસી જાય અને કોઈના ઘરમાં ખિલેલી કોઈ પણ ગુલાબની કળી ઉખાડીને લઈ જાય અને પોતાના દેવતાઓને ભેટ ચઢાવી દે. વરસાદ અને તડકાના દેવતા ઇન્દ્ર અને સૂર્ય એક વખત તો આ અત્યાચારભરી ભેટનો સ્વીકાર ન કરે પરંતુ મનુષ્યોની ભેટથી અટ્ટહાસ્ય કરવાવાળા આ દાનવીય વૃત્તિઓવાળા રાક્ષક નંદ, એને તો નવયુવતિઓના ગરમ લોહી પીવાનો ચસકો પડી ચુક્યો હતો.
ચાણક્યના પિતા ચણક બ્રાહ્મણ હતા. સંતોષની મૂર્તિ, નિતાંત ધર્મનિષ્ઠ. ખુદની જરૃરિયાત માટે કોઈની આગળ હાથ નથી લંબાવ્યો. કર્મકાંડથી પોતાનું જીવન ખૂબ મુશ્કેલીથી ચલાવી શક્તા હતા અને એ જ સમયે ચાણક્યનો જન્મ થયો. એક પથ્થર કહી ગયો હોય અને તિરાડોમાંથી એક આછું પ્રકાશનું કિરણ આખા ઝૂંપડાને પ્રકાશિત કરી ગયું. પુત્રને મેળવી ચણી અને તેના પત્ની બંને ખૂબ ખુશ થઈ ગયા. ચણી અને તેના પત્ની બંને સુંદર હતા. એ સમયે રાજ્યના અત્યાચારોની કાલિમા, ક્રૂર સૈનિકોનો આતંક અને ભયના કાળા વાદળો જાણે રાજ્યના ભવિષ્યરૃપી આકાશમાં છવાયેલા હતા. કદાચ, આ કાલિમાના પ્રભાવથી ચાણક્ય શરીરથી સ્વસ્થ હોવા છતાં પણ ગૌવર્ણા જન્મ્યાં.
માતા માટે તો પુત્ર ઘરમાં પ્રકાશ કરવાવાળો હોય છે, પછી તે કાળો જ કેમ ન હોય. આ ખુશીના વાતાવરણમાં જ્યારે ચણીએ પોતાના પુત્રમાં ભવિષ્ય રેખાઓને જાણવા માટે સાધુ - સંન્યાસીઓ અને જ્યોતિષીઓને બોલાવ્યા, તો આ ગરીબ બ્રાહ્મણ જાણે આકાશથી ઉતરીને જમીન પર આવી ગયો. ચાણક્યને બાળપણમાં જ દાંત આવ્યા હતા અને જ્યારે તે હસતા હતા તો તેમના આ જ દાંત તેમના શરીરની કાલિમાને વાદળોની જેમ ચીરી શુભ ચાંદની સમાન પ્રકાશ ફેલાવી દે છે.
જ્યોતિષીઓ અને સાધુ-સંન્યાસીઓએ જ્યારે જોયું કે આ બાળકના મ્હોંમાં બાળપણથી જ દંત છે, તો તેમની નજર તેના હાથની રેખાઓથી હટીને દાંત પર આવી ગઈ. તેમના માથાનો ફેલાવ, ભૃકુટીઓનું ખેંચાણ, શ્વાસ લેતી વખતે નાકના પોયણાનું ફેલાવું અને આ બધા પર ન દેખાતો તણાવ. આ બધુ માનો કે ભવિષ્યની મૂર્તિ ઘડી રહ્યા હતા અને તે બાળક આ બધાથી બેખબર તેની માતાના ખોળામાં બેસી આશ્ચર્યથી પોતાના ભવિષ્ય દૃષ્ટાઓની તરફ જોઈ રહ્યો હતો, જાણે તે કહેતો હોય કે નાના-નાના હાથ ફેંકતા કે મારું ભવિષ્ય મારા હાથમાં નહીં, મારા મસ્તિષ્કમાં ઉઠવાવાળા વિચારોમાં છુપાયેલું છે.
જ્યોતિષીઓના મનમાં આ દૃશ્ય ઉથલ - પાથલ મચાવી રહ્યું હતું. તેઓ જાણતા હતા કે, આ ગરીબ બ્રાહ્મણ જેણે શ્રદ્ધા ભક્તિથી તેમનું આતિથ્ય કર્યું છે તેને શું ખબર કે તેની 'કાલે' કેવી વિચિત્ર દશા હશે. છતાં પણ ચણીના વારંવાર પૂછવા પર જ્યોતિષીઓએ તેને કહ્યું:
"હે બ્રાહ્મણ ! તારા બાળકની જન્મકુંડળી અને હાથની રેખાઓ જે બતાવી રહી છે તેના આધારે આ બાળક મોટો થઈ એક બહુ મોટા રાજ્યનો સ્વામી બનશે. એના મ્હોંમાં જે જન્મથી જ દાંત નિકળ્યાં છે, આવું બાળક સદીઓમાં કોઈ ભાગ્યશાળીના ઘરમાં જન્મે છે. સુખ તેની ચારે બાજુ નર્તકીઓની જેમ નૃત્ય કરશે, વૈભવ તેની આગળ ચાકર બનશે, આ રાજા થવા છતાં તે યુગપુરૃષ કહેવાશે ચણી!"
ચણીનું મન ચિંતાથી કાંપી ઉઠ્યું. તેને જ્યોતિષના વાક્ય પર જરાપણ ખુશી ન થઈ કે તેનો પુત્ર મોટો થઈને રાજા બનશે. તેને લાગ્યું કે ક્યાંક આ ભવિષ્યવાણી વિશે નંદને જાણ થશે તો તે તેને જીવતા જ મારી નાંખશે. ખબર નહીં કાલનો સુરજ કેવી રીતે આથમશે.
જ્યોતિષીઓને વિદાય કરીને ચણી તરત જ ઝૂંપડાની અંદર ગયો અને બાળકને તેની માતા પાસેથી છીનવીને તેને પાસે લઈને તેની પાસે પડેલા એક પથ્થરને લઈને તેના બંને દાંત તોડી નાંખ્યા.
વટવૃક્ષ નીચે બેઠેલા ચાણક્ય હવે પોતાના ભૂતકાળના પાનાઓ વાંચી રહ્યાં હતા. અચાનક તેમનો હાથ તેના મુખમંડળ પર ગયો. બધા દાંત તેની જગ્યાએ સુરક્ષિત હતા પરંતુ જે દાંત પિતાએ પુત્ર રક્ષાના સ્નેહભાવને લીધે તોડી નાંખ્યા હતા તે સ્થાન તો હજુ ખાલી જ છે. હજી પણ ત્યાંથી હવા રોકાયા વગર આવે-જાય છે અને ચાણક્યના મ્હોંમાંથી નિકળી ગયું - વાહ પિતા !
હા, પિતાએ આ જ વિચાર્યું હતું કે બાળકના મ્હોંમાં જન્મના દાંત છે. જો તેને તોડી નાંખવામાં આવે તો જ્યોતિષીઓનું વાક્ય ખોટું થઈ જાય અને તે એક સામાન્ય માનવી જ બનીને રહે.
કારણ કે તેના મન પર નંદ જેવા રાજાનો આતંક બેઠેલો હતો, કદાચ તેથી જ તેના પિતાને ચાણક્યનું રાજા બનવાનું સ્વીકાર્ય ન હતું.
પરંતુ જે બનવાનું છે તેને કોણ ટાળી શકે છે. આખા વર્ષ પછી બીજીવાર તે સાધુ-સંન્યાસી ફરતા ફરતા ત્યાં કુસુમપુર આવ્યા તો છેલ્લાં અતિથિ સત્કારને યાદ કરીને, તેઓ એ ચણીની ઝૂંપડી પાસે આવીને

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents